Joginder Singh
ઊંડા અંધકાર પછી જે રીતે સુખની સવાર થાય છે, બરાબર એ જ રીતે દરેક ’હાર' પછી ’જીત’ની પ્રબળ પ્રસન્નતાની ક્ષણ આવે છે. ’હાર’ની તીવ્ર થપાટ જ ’જીત’ની શક્તિ પ્રદાન કરે છે. ઓકના ઝાડ વિપરીત હવાના દબાણથી જ પોતાના મૂળીયાં મજબૂત કરે છે. આ પુસ્તક 'હાર પછી જ જીત છે’માં પ્રખ્યાત લેખકે 'હાર’ અને ’જીત’ના આ જ દર્શનને ખૂબ જ સહજતાથી રોચક તથ્યોની સાથે પ્રસ્તુત કરી છે.